વિવાદોની વચ્ચે રૂપાલાએ કર્યું મતદાન : પોતાના ગામ ઇશ્વરિયાની શાળામાં મતદાન કર્યું..
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan07052024_082957_ANI-20240507061313.webp)
- 07 May, 2024
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ આજે ગુજરાતના અમરેલીમાં તેમના વતન ગામ ઇશ્વરીયા ખાતે મતદાન મથક જઈને પોતાનો મત આપ્યો હતો. તેઓ આ વખતે રાજકોટ મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.
રૂપાલાએ સહપરિવાર ઇશ્વરિયા ખાતેની પ્રાથમિક શાળાના મતદાન મથક પર મતદાન કર્યું હતું . મતદાન કરતા પહેલા તેઓ ગામના મંદિરમાં જઈને વંદન કરીને ભગવાનના આશીર્વાદ લીધા હતા. તેઓ તેમના પણ સમર્થકો સાથે સવારે 7:00 વાગ્યે રસ્તાની બીજી બાજુ આવેલા તેમના ઘરેથી મતદાન મથક પર પહોંચ્યા હતા.
પોતાનો મત આપ્યા પછી, રૂપાલાએ કહ્યું કે તેઓ આગાહીઓમાં વિશ્વાસ કરતા નથી, તેમ છતાં તેમણે ખાતરી આપી હતી કે ભાજપ જંગી બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવશે.વધુમાં તમણે લોકશાહીના તહેવારમાં દરેકને મત આપવાની અપીલ પણ કરી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ